વડોદરાઃ સાવલી તાલુકાના ભાદરવા ગામમાં 500 જેટલા મકાનોમાં કનડી નામની નીકળેલી જીવાતે લોકોનું રહેવું મુશ્કેલ કરી દીધું છે ગામલોકોએ આ માતાજીનો પ્રકોપ હોવાનું જણાવતા સરપંચે માતાજીના મંદિરમાં હવન કરાવીને 51 કુવારીકાઓને જમાડી હતી આમ છતાં કનડીની જીવાતનો ઉપદ્રવ ઓછો થયો નથી તાલુકા આરોગ્ય વિભાગ આ જીવાતની કોઇ દવા નથી તેમ જણાવી હાથ અધ્ધર કરી લેતા ગામલોકો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે