સુરતઃમુંબઈના ડોંગરીમાં ચાર માળની ઈમારત ધરાશાયી થયા બાદ સુરત મહાનગરપાલિકા તંત્રએ તેજ ગતિએ ડિમોલેશનની કામગીરી હાથ ધરી છે ચૌટા બજારમાં આવેલી જર્જરીત અને વર્ષો જૂના 3 માળનું માકન નમી પડ્યું હતું જેથી પાલિકાની ટીમે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી માછલીપીઠ વિસ્તારમાં આવેલા આ જૂના મકાનને કોર્ડન કરીને પાલિકાનીટીમ દ્વારા ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે વર્ષો જૂના આ મકાનને અગાઉ ઉતારી પાડવા માટે નોટિસો પણ ફટકારવામાં આવી હતી