ભારતીય વાયુસેના પ્રમુખ રાકેશ કુમાર સિંહ ભદૌરિયાએ શુક્રવારે કહ્યું કે, 27 ફેબ્રુઆરીએ શ્રીનગરમાં MI-17 ક્રેશ અંગે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીએ તપાસ પુરી કરી લીધી છે જેમા બે અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે આ આપણી જ ભૂલ હતી કે આપણે આપણા જ હેલિકોપ્ટરને નિશાન બનાવ્યા અમે હવે એ વાતનું ધ્યાન રાખીશું કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી ક્યારે ન થાય
એર ચીફ માર્શલ ભદૌરિયાએ વાર્ષિક એર ફોર્સ ડે પ્રેસ કોન્ફરન્સ નિમીતે બાલાકોટ સ્ટ્રાઈકનો પ્રમોશનલ વીડિયો જાહેર કર્યો હતો આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, ભારતીય જવાનોએ કેવી રીતે બાલાકોટ સ્ટ્રાઈકને અંજામ આપ્યો હતો એર ચીફ માર્શલ ભદૌરિયાએ જણાવ્યું કે, વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ બાલાકોટ સ્ટ્રાઈક સહિત, એક વર્ષમાં ઘણી સિદ્ધીઓ હાંસિલ કરી છે 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સાથે હવામાં જંગ થઈ હતી જેમાં ભારતે મિગ-21 અને પાકિસ્તાને F-16 ફાઈટર જેટ ગુમાવ્યું હતું