દયાપરઃ લખપત તાલુકાના ગામડાઓમાં રણતીડ છેલ્લા 15 દિવસથી તાલુકાના અલગ અલગ ગામડાઓમાં ચલકચલાણું રમી રહ્યા છે, જેમાં હવે ગુરુવારથી ઘડુલી, ફુલારા અને ધારેસીના ખેતરોમાં પડાવ નાખ્યો છે, જેથી પાકની લીલોતરી ઉપર હજારો ખેત પાકભક્ષી પીળા રંગના રણતીડે પીળી ચાદર પાથરી દીધી હોય એવો ભાસ થઈ રહ્યો છે જિલ્લાના સરહદી ગુનેરી, છેર, કપુરાશી, લક્કી, ગુહર સહિતમાં ગામડાઓમાં મોટી સંખ્યામાં રણતીડના ઝુંડે ખેડૂતોના ચહેરા ઉપર ભયની રેખાઓ તાણી દીધી હતી, જેથી કેન્દ્રની તીડ નિયંત્રણ કચેરી અને જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના અધિકારીઓ કર્મચારીઓની અલટ અલગ ટીમ બનાવીને ખેતરના ઉભા પાકને બચાવવા દિવસ રાત દોડધામમાં પડ્યા હતા