Surprise Me!

ઊંઝા ઉમિયા મહોત્સવની 10 લાખ આમંત્રણ પત્રિકા લખવાની શરૂઆત

2019-11-02 82 Dailymotion

મહેસાણાઃઆગામી 18થી 22 ડિસેમ્બર દરમિયાન ઊંઝા સ્થિત ઉમિયાધામમાં ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવનું ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે લાભપંચમીના શુભ દિવસે પૂજાવિધિ સાથે જય ઉમિયાના જયઘોષ સાથે મા ઉમિયા લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવની આમંત્રણ પત્રિકા લખવાની શરૂઆત કરાઇ હતી ઉલ્લેખનીય છે કે, મહોત્સવમાં પધારવા માટે માનું તેડું એવી આમંત્રણ પત્રિકા 10 લાખ પાટીદાર પરિવારોને ઘેર ઘેર પહોંચાડવામાં આવશે મહોત્સવની પ્રથમ આમંત્રણ પત્રિકા ઐઠોરમાં બિરાજમાન ગણપતિ દાદાના મંદિરે લખવામાં આવી હતી અને વિધ્નહર્તાને આ મહોત્સવમાં ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આ પ્રસંગે ઉમિયા માતાજી સંસ્થાનના પ્રમુખ મણિભાઇ મમ્મી, મંત્રી દિલીપભાઇ નેતાજી સહિત સંસ્થાનના હોદ્દેદારો તેમજ સક્રિય સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા