અમદાવાદ: અમદાવાદમાં સંવેદનશીલ વિસ્તારોમાં તોફાની તત્વો અચાનક રસ્તા પર કેમ આવી ગયા તે અંગે અનેક તર્ક વિતર્કો થઈ રહ્યાં છે ત્યારે દિવ્યભાસ્કર દ્વારા ઈન્વેસ્ટિગેશન કરતા જાણવા મળ્યું છે કે, ગુરુવારે સવારે લાલ દરવાજા વિસ્તારમાં પોલીસ અને તોફાની તત્વો વચ્ચે ઘર્ષણ થયું હતું જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો તોફાની તત્વો અને પોલીસ વચ્ચેના ઘર્ષણનો આ વીડિયો જોત જોતામાં લોકોના મોબાઈલ ફોન સુધી પહોંચી ગયો હતો આ બધાની વચ્ચે કોંગ્રેસના કોર્પોરેટર શહેઝાદખાન પઠાણ ઉર્ફે સનીબાબા સાંજે રેલી કરવાના છે તે અંગેના મીડિયા ઇન્વિટેશન મળ્યા હતા ત્યારબાદ શહેઝાદખાને તેના ફેસબુક એકાઉન્ટ પર પોલીસે તેના પર લાઠીચાર્જ કરીને ધરપકડ કરી છે તેવી પોસ્ટ કરી હતી જેનાથી દાણીલીમડા અને શાહઆલમમાં હજારોની સંખ્યામાં લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા આ સમગ્ર બાબતની અમદાવાદ શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયા તપાસ કરી રહ્યાં છે તેમજ શહેઝાદખાન અને વાઇરલ વીડિયો સંદર્ભે તપાસના આદેશ પણ આપી દીધા છે