ઉપરવાસમાં ભારે વરસાદ થતા પાટણની સરસ્વતી નદી ઉપર બાંધવામાં આવેલા જળાશયમાંથી પાણી છોડવામાં આવ્યા છે. જેને લઇ હારીજ તાલુકાના સરેલ અને નાણાં ગામ નજીકથી પસાર થતા નદીના વહેણના પાણી ગામમાં પેસી જતા ગ્રામજનોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળતા મોટી નુકશાની થવા પામી છે.