દ્વારકામાં યાત્રિકોની સુરક્ષાને લઇ મહત્વના નિર્ણય કરવામાં આવ્યો છે. દ્વારકામાં હાલ યાત્રિકોની ભારે ભીડ હોય સુદામા સેતુ બંધ કરવામાં આવ્યો છે. દ્વારિકાધીશ મંદિર પણ જર્જરિત હાલતમાં હોય મંદિરમાં પણ સીમિત લોકોને પ્રવેશ આપવામાં આવશે. બેટ દ્વારકામાં પણ ફેરી બોટમાં લાઈફ જેકેટ યાત્રિકોને પહેરાવવામાં આવશે. તેમજ બોટમાં મર્યાદીત સંખ્યામાં યાત્રિકોને બેસાડવામાં આવશે.