નેશનલ ડેસ્ક:ભારત માતા મંદિરના સંસ્થાપક નિવર્તમાન શંકરાચાર્ય સ્વામી સત્યમિત્રાનંદનું આજે વહેલી સવારે નિધન થયું છે આવતી કાલે તેમને સમાધિ આપવામાં આવશે સોમવારે તેમની સ્થિતિ ખૂબ ગંભીર જણાવવામાં આવી હતી 90 વર્ષ કરતાં વધારે ઉંમર હોવાના કારણે સ્વામી સત્યમિત્રાનંદને ફેફસામાં ટ્યૂમર અને શ્વાસ લેવામાં તકલીફ થવાની બીમારી હતીથોડા દિવસ પહેલાં જ તેમને દેહરાદૂનની મેક્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં થોડી સારવાર કર્યા પછી સત્યમિત્રાનંદને તેમના ઘરમાં જ એક રૂમમાં આઈસીયુ બનાવીને રાખવામાં આવ્યા હતા તેમની ગંભીર સ્થિતિના કારણે સોમવારે દેશ-વિદેશથી ભક્તો તેમની ખબર જોવા પહોંચ્યા હતા તેમણે બહારથી જ સ્વામીના દર્શન કર્યા હતા આધ્યાત્મિક જગતની મોટી હસ્તીઓમાં સામેલ સ્વામી સત્યામિત્રાનંદને પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા